Search This Website

Sunday 2 July 2023

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC)

 

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC)

 બિનઅનામત વર્ગોની પીડાઓને સમજવાનું કામ કરે છે. બિન અનામત વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારશ્રીને ભલામણ કરે છે. સમાજ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યા બાદ, Bin-Anamat વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની ભલામણ તૈયાર કરે છે. બિન અનામત વર્ગ આયોગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમ કે શૈક્ષણિક અભ્યાસ યોજના લોનભોજન બિલ સહાયકોચીંગ સહાય (ટ્યુશન સહાય), JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય તથા વિદેશ અભ્યાસ લોન વગેરે.



વિદેશ અભ્યાસ લોનની પાત્રતા

●  ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો

● અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે

● રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.

● ધોરણ-12 માં 60 ℅  કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.

● કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.

Bin anamat aayog દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. બિન અનામત યોજનાની લોન લેવા માટે નક્કી ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.

1. નિયત નમુનાની અરજીપત્રક

2. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર

3. આધારકાર્ડની નકલ

4. આવકનું પ્રમાણપત્ર

5. એડમીશન લેટર

6. ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ

7. ધોરણ – 10 અને 12 ની માર્કશીટ

8. શાળા છોડ્યાનો દાખલો ( LC )

9. પાસપોર્ટની નકલ

10. વિઝાની નકલ ( Visa Copy )

11. એર ટીકીટ ( Air Ticket )

12. દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી(Fees) નો પુરાવો

13. અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ


14. ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક

15. પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ(Property mortgage) કરવાની સંમતિપત્ર

16. પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.

Bin-Anamat Loan માટેનાં દસ્તાવેજો/જામીન

● આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.

● દરેક લોન લેનારે નિગમની તરફેણ(નિગમ માટે)માં સહી કરેલા 5(પાંચ) પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.

● સંપૂર્ણ અભ્યાસક્ર્મની લોનની કુલ રકમ રૂપિયા. 7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાના અથવા અન્ય કોઈ સગા-સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.


વિદેશ અભ્યાસ લોન માટે અરજી ક્યાં કરવી

બિન અનામત લોન તરીકે ચાલતી વિદેશ અભ્યાસ લોન લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઈટ પર જઈને Online Form ભરવાનું રહેશે.  Online ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્‍ટ વેબસાઈટ પર અપલોડ(Upload) કરવાના રહેશે.

વિદેશ અભ્યાસ લોન પરત ચૂકવણી

● રૂપિયા 5.00 લાખ સુધીની કુલ લોનના અભ્યાસક્રમ પૂરો થયાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.


FAQ Of Videsh Abhyas Loan Sahay Yojana

1. વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12માં કેટલા ટકા જોઈએ?

જવાબ: આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.

2. આ યોજના હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?

જવાબ: Videsh Abhyas Loan Yojana હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.

  • વિદેશ અભ્યાસ લોન હેઠળ કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે.?
    • આ યોજના હેઠળ મળવાપાત્ર લોન પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ.?
    •     આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.


No comments:

Post a Comment