Search This Website

Tuesday 1 November 2022

તમને ખબર પણ નહીં પડે અને પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, આ ફળ છે જોરદાર જે પથરીનો કરશે ઈલાજ.

 

તમને ખબર પણ નહીં પડે અને પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, આ ફળ છે જોરદાર જે પથરીનો કરશે ઈલાજ.





મિત્રો પથરીની સમસ્યા આજના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ખાણીપીણીના કારણે કિડનીમાં પથરી થઈ જતી હોય છે. પથરી ખૂબ જ પીડા કરાવતી સમસ્યા છે.

પથરીનો દુખાવો અસહ્ય હોય છે. પથરી ને દૂર કરવા માટે દવા કરવી પડે છે અથવા તો જો પથરી મોટી હોય તો ઓપરેશન કરાવવાની ડોક્ટર સલાહ આપે છે.

શરીરમાં જ્યારે ક્ષારનું પ્રમાણ વધી જાય છે અને તે પેશાબ વાટે તે બહાર નીકળતા નથી તો તે કિડનીમાં જામી જાય છે અને પથરી બની જાય છે.

પથરી કિડની ઉપરાંત પિતાશયમાં પણ થઈ શકે છે. જો પથરી મોટી હોય તો તેનો ઓપરેશન જ કરાવવું પડે એવું માનવામાં આવે છે.

પરંતુ જરૂરી નથી કે પથરી કાઢવા માટે ઓપરેશન જ કરવું પડે. ઓપરેશન વિના પણ મોટી પથરી તૂટી અને બહાર નીકળી જાય તેવો અસરકારક આયુર્વેદિક ઉપાય આજે તમને જણાવીએ.

પથરીની તકલીફમાં પેટની આજુબાજુ ભયંકર દુખાવો થાય છે સાથે જ પેશાબમાં પણ બળતરા થાય છે. જો તમને પણ પથરી ની તકલીફ હોય તો રોજ સવારે ખાલી પેટ સફરજન નો રસ પીવાનું રાખો.

નિયમિત રીતે સફરજનનો જ્યુસ પીવાથી પથરી તૂટી અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ સિવાય નિયમિત રીતે ત્રણ સફરજન સવારે ખાલી પેટ ખાવાથી પણ શરીરમાંથી પથરી નીકળી જાય છે.

આ સિવાય લીલા નાળિયેરમાં એક લીંબુ નીચોવીને રોજ સવારે પીવાથી પથરી મટે છે. જો તમે આ બંને ઉપાય નિયમિત રીતે કરો છો તો મોટી પથરી પણ ઓપરેશન વિના બહાર નીકળી શકે છે.


No comments:

Post a Comment